Friday 25 November 2011

દુનિયાની સાત અજાયબી

દુનિયાની સાત અજાયબી : ( દશ અજાયબી કેમ નહીં ?? )

સૈકાઓથી આપણે આંગળીના વેઢે દુનિયાની સાત અજાયબી ગણ્યા કરીએ છીએ, ’તાજ મહાલ’ને આંખ બંઘ કરીને ગણાવતા, પણ હવે દિવસો બદલાઇ ગયા છે. થોડા મહિનાઓ પહેલા ’ સેવન વંડર્સ ’ માટે પબ્લિક સર્વે કરવામાં આવ્યું. સદનસીબે ’તાજ મહાલ’ની ગણત્રી થઇ ગઇ, પણ જરા અજુક્તું લાગ્યું. ટી.વી સેટ ઉપર આપણે તાકીને બેઠા હતાં. ટી.વી. ઉપરથી જાહેર થયું કે ’તાજ મહાલ’ની ગણના સાત અજાયબીઓમાં થઇ ગઇ, અને આપણે ફટાકડા ફોડ્યા. જેમ ભારતની ક્રિકેટ ટીમ જીતીજાય છે અને ફટાકડા ફુટે છે તેમ, શું દર વખતે આપણે ’તાજ મહાલ’ માટે લાઇન લગાવીને ઉભું રહેવાનું ? જ્યારે નવી અજાયબીઓ બનતી જાય છે, તો અજાયબીઓની સંખ્યાની ગણત્રી દશ ન કરી શકાય ? ખેર એ બધું આપણાં હાથમાં નથી, પણ ’તાજ મહાલ’ની ગરિમા આપણાં માટે તો એટલી જ છે, જેટલી પૂ. ગાંધીજી માટે છે, જેટલી કવિવર ટાગોર કે શહીદ ભગત સિંહ માટે છે.  
 ”તાજ મહાલ” વિષે થોડીક માહિતી 
ચાર કરોડ, અગીયાર લાખ, અડતાળીશ હજાર, આઠસો છત્રીસ રૂપિયા, સાત આના અને છ પાઇ જેટલો ખર્ચો “ તાજ મહાલ “ બનાવવામાં થયો હતો. આવું  ’અમ્લ- ઇ -સાલીહ’ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. દુનિયાભરનાં કારીગરો આવ્યા હતાં. સમરકંદથી મુહમ્મ્દ શરીફ, લાહોરથી કઝીમ ખાન, જેણે તાજ મહાલની સૌથી ઉંચી ટોચ બનાવી હતી. દિલ્હીના એક પીરા નામના માણસે ઘુમ્મટની આસપાસ માચડો બાંધ્યો હતો અને ઘુમ્મટનું મધ્યબિંદુ ગોઠવવામાં મુખ્ય કામ કર્યું હતું. શિરાઝથી અમાનત ખાન, બગદાદથી કાદર ઝમાન અને મુહમ્મદ ખાન.શામથી રૌશન ખાન આવ્યો હતો. જેણે આરસામાં આયાતો કોતરી હતી. અંદરનું બધું કામ કનોજના ચિરંજીલાલે કર્યું હતું. તેની સાથે ત્રણ મુખ્ય કારીગરો હતાં. છોટીલાલ, મન્નુલાલ, અને મનોહર સિંઘ. અંદર ફુલો કોતરનારા બોખારાથી આવ્યાં હતાં. અતા મુહમ્મદ અને શકર મુહમ્મદ. ત્રણ દિલ્હીના હતાં. બનુહાર, શાહમલ અને ઝારાવર. બહારની બાગ બગીચાની યોજના રામલાલ કાશ્મીરી નામનાં માણસે કરી હતી. બધાનો ઉપરી હતો ઇશા નામનો માણસ. 
 

No comments:

Post a Comment